Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું છે ડ્રોન ટેકનોલોજીથી સંચાલિત આ યોજના અને કેટલી મળે છે સબસિડી?

શું છે ડ્રોન ટેકનોલોજીથી સંચાલિત આ યોજના અને કેટલી મળે છે સબસિડી?
, રવિવાર, 7 ઑગસ્ટ 2022 (12:28 IST)
ખેતરના પાકમાં નવી ટેકનોલોજી અને ડ્રોન યંત્ર વડે દવા છંટકાવ કરવાની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત ૨૦ મિનિટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે, આ ટેકનોલોજીથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચ બચશે અને કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળશે. 
 
આ યોજના હેઠળ ખેડૂતને એક એકર માં ડ્રોન દ્વારા  છંટકાવ માટે વધુમાં વધુ રૂ.૫૦૦/- સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૩૫ કરોડની જોગવાઇ કરી છે.
 
• શું છે નેનો યુરિયા?
દેશના ખેડૂતોને યુરિયા ખાતરની એક થેલી રૂ.૨૬૮/-માં આપવા માટે કેન્દ્ર સરકાર રૂ. ૩૭૦૦/- ની સબસિડી આપે છે. જેની સામે ઈફ્કો દ્વારા સંશોધિત નેનો યુરિયાની ૫૦૦ મી.લિ. ની બોટલ રૂ.૨૪૦/- માં મળે છે. જેથી સરકારને સબસિડીની બચત થાય છે. વિદેશમાં જતું હુડિયામણ બચી જાય છે અને ખેડૂતોને પણ ફાયદો થાય છે. નેનો યુરિયાના ખેતરોમાં ઉપયોગ માટે ભારતમાં ૬ સિઝન અને ૯૪ પાકો પર ૧૧ હજાર જેટલા પરીક્ષણો પછી સરકારે માન્યતા આપી છે. નેનો યુરિયાનું સંશોધન વિશ્વભરમાં સૌ પ્રથમ ઈફકોએ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

6 કેક અને ચાકૂની જગ્યાએ તલવાર, પોલીસે રાજાનો બર્થડેને બનાવ્યો વધુ 'યાદગાર'