Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anupama: વનરાજને આવશે હાર્ટ અટેક, શુ સુધાંશુ પાંડે શો માંથી બહાર થશે ?

Anupama: વનરાજને આવશે હાર્ટ અટેક, શુ સુધાંશુ પાંડે શો માંથી બહાર થશે ?
, શનિવાર, 20 નવેમ્બર 2021 (22:46 IST)
ટીવી સિરિયલ અનુપમા(Anupama)ની સ્ટોરી હાલના દિવસોમાં ફિલ્મી ઢબે આગળ વધી રહી છે. રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે અભિનીત આ સિરિયલમાં હજુ ઘણા ધમાકેદાર ટ્વિસ્ટ આવવાના છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સુધાંશુ પાંડેએ પોલિટિકલ ડ્રામા આધારિત વેબ સિરીઝ સાઈન કરી છે. આ સાથે, એવી અફવાઓ ઉડવા લાગી કે સુધાંશુ અધવચ્ચે અનુપમાને ટા-ટા બાય-બાય કહેશે. આગામી દિવસોમાં મેકર્સ આ સિરિયલની સ્ટોરી એ રીતે વધારશે કે હવે આ અફવાઓ સાચી લાગવા માંડશે.
 
કાવ્યાના કારણે બધા રસ્તા પર આવશે
 
બીજી તરફ, કાવ્યા બધાને કહેશે કે હવે શાહ હાઉસનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવે તેની સામે કોઈનુ ચાલશે નહીં. કાવ્યા એક પછી એક બધાને શાહ હાઉસમાંથી બહાર કાઢશે. આવી સ્થિતિમાં વનરાજ ક્યાંયનો નહી રહે. 
 
વનરાજને હાર્ટ એટેક આવશે
 
અનુપમાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે વનરાજની હાલત બગડવાની છે. વનરાજને લાગવા માંડશે કે તેના ઘરમાં થતા ઝઘડા માટે તે પોતે જ જવાબદાર છે. પરિસ્થિતિ બેકાબૂ જોઈને વનરાજ પરેશાન થઈ જશે અને તેને હાર્ટ એટેક આવશે. ટેલીચક્કરના એક અહેવાલ મુજબ, આ દિવસોમાં અનુપમાના સેટ પર આ ટ્રેકનું શૂટિંગ ચાલી રહ્યું છે
 
શું સુધાંશુ પાંડે શો છોડશે?
 
હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું સુધાંશુ પાંડે ખરેખર અનુપમાને છોડી દેશે? શું મેકર્સ વનરાજના હાર્ટ એટેકવાળા ટ્રેક એ માટે લઈને આવશે જેથી સુધાશું પાંડેના પાત્રને શોમાંથી સરળતાથી કાઢી શકાય? હાલમાં સુધાંશુ પાંડે તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં સુધાંશુ પાંડે શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ આવ્યો સામે, કોર્ટે કહ્યું- ગુનાની યોજના બનાવવાના કોઈ પુરાવા નથી