Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chanakya Niti : આચાર્ય ચાણક્ય મુજબ ઘરના વડીલે આ વાતોનુ રાખવુ ધ્યાન

Chanakya Niti : આચાર્ય ચાણક્ય મુજબ ઘરના વડીલે આ વાતોનુ રાખવુ ધ્યાન
, બુધવાર, 16 માર્ચ 2022 (00:06 IST)
આચાર્ય ચાણક્ય મુજબ ઘરના વડીલે હંમેશા શ્રેષ્ઠ સંબંધો જાળવી રાખવા જોઈએ. તમારે તમારા ભાઈ અને તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો રાખવા જોઈએ. જેથી તમે આખા ઘરને એક તાંતણે બાંધી શકશો.
 
ભોજનનો અનાદર ન કરો - ઘરના વડીલેએ ક્યારેય ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. જરૂર હોય તેટલું જ લો. કારણ કે ઘરમાં બાળકો વડીલો પાસેથી જ શીખે છે. જો બાળકો તમને આ કરતા જોશે, તો આવતીકાલે તેઓ પણ આવું જ કરશે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઘરની સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે ક્યારેય પણ ખોરાકનો બગાડ ન કરશો. 
 
વાતચીત કરતા રહો  - ઘરના વડાએ દરેક સાથે વાત કરવી જોઈએ. આનાથી માત્ર સંબંધો જ નથી સુધરતા, પરંતુ ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ આવી શકે છે. તેથી, દરેકની વાત સાંભળવી અને તેની ચર્ચા કરવી એ વડીલની ફરજ છે.
 
ફાલતૂ ખર્ચથી બચો - ઘરના વડીલે પરિવારના ભવિષ્યનો વિચાર કરીને આગળ વધવું જોઈએ. કેટલીકવાર નકામા ખર્ચાઓ વધુ  પડતી સમસ્યાઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી મુશ્કેલ સમય માટે પૈસા બચાવો.
 
સમજી-વિચારીને નિર્ણય લો - ઘરના વડાએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઘણું વિચારવું જોઈએ. ક્યારેય કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. આ પરિવારના સભ્યોના ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી કોઈપણ નિર્ણય સમજી-વિચારીને લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ 5 બ્યૂટી ટીપ્સથી તમે ગરમીમાં પણ જોવાશો હમેશા ફ્રેશ