Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Teaches Day પર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચાર

Teaches Day પર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચાર
, મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (08:17 IST)

-  શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોજને બળજબરીપૂર્વક ઠૂંસીને ભરે. પણ સાચો શિક્ષક એ જ હોય છે જે વિદ્યાર્થીને આવનારા પડકારો માટે તૈયાર કરે 
 
- પુસ્તક એ સાધન છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પુલનુ નિર્માણ કરી શકીએ છીએ. 
 
- પુસ્તક વાંચવાથી આપણને એકાંતમાં વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે. 
 
-  દુનિયાના બધા સંગઠન બિનપ્રભાવી થઈ જશે  જ્યા સુધી આ સત્ય સૌને પ્રેરિત નહી કરે કે જ્ઞાન અજ્ઞાનથી શક્તિશાળી  હોય છે 
 
- શિક્ષણનુ પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવો જોઈએ. જે ઐતિહસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક વિપદાઓ વિરુદ્ધ લડી શકે. 
 
- જ્ઞાન આપણને શક્તિ આપે છે અને પ્રેમ આપણને પરિપૂર્ણતા આપે છે 
 
- કોઈપણ આઝાદી ત્યા સુધી સાચી નથી હોતી, જ્યા સુધી તેને વિચારની આઝાદી પ્રાપ્ત ન થાય. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનીતિક સિદ્ધાંતને સત્યની શોધમાં અવરોધ ન આપવો જોઈએ. 
 
- શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદ્દપયોગ કરી શકાય છે.  તેથી વિશ્વને એક જ સંસ્થા માનીને શિક્ષાની વ્યવસ્થા કરવી જોઈએ. 
 
- જો આપણે દુનિયાના ઈતિહાસને જોઈશુ તો સભ્યતાનુ નિર્માણ એ મહાન ઋષિયો અને વૈજ્ઞાનિકોના હાથે થયુ છે, જે પોતે વિચાર કરવાનુ સામર્થ્ય રાખે ચ હે.  જે દેશ અને કાળની ઊંડાઈઓમાં પ્રવેશ કરે છે.  તેમના રહસ્યોની શોધ કરે છે અને આ રીતે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ વિશ્વ શ્રેય કે લોક-કલ્યાણ માટે કરે છે. 
 
- ભગવાનની પૂજા નથી થતી પણ એ લોકોની પૂજા થાય છે જે તેમના નામ પર બોલવાનો દાવો કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips - આજની હેલ્થ ટિપ્સ વજન ઉતારવા માટે