શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ અને સફળતા મેળવવાના અનેક ઉપાય છે. આ ઉપાયોમાંથી કેટલાક ઉપાય એવા હોય છે જે ખૂબ જ મુશ્કેલ હોય છે. સાથેજ કેટલાક ઉપાય એવા છે જે ખૂબ જ સહેલા છે. આ ઉપાયોમાંથી શાસ્ત્રીય ઉપાયનો કોઈ મુકાબલો નથી.
ધન પ્રાપ્તિ માટે શાસ્ત્રીય ઉપાય કારગર સિદ્ધ થાય છે. ધન પ્રાપ્તિ માટે તુલસીનો આ શાસ્ત્રીય ઉપાય અચૂક માનવામાં આવે છે. આજે અમે તમને ધન અને સફળતા પ્રાપ્તિ માટે તુલસી સાથે સંકળાયેલા શાસ્ત્રીય ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય તુલસીના પાનથી કરવા જોઈએ.
તુલસીના પાનના આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને ધન કુબેરની વિશેષ કૃપા થાય છે. મતલબ તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થવો ચોક્ક્સ છે. આ ઉપરાંત કેરિયર અને વ્યવસાયમાં આવતા અવરોધો પણ દૂર થાય છે.
જાણો કેવી રીતે કરશો ઉપાય
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના કુલ અગિયાર પાન તોડી લો.. આ પાનને તોડતા પહેલા માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી લો. ધ્યાન રાખજો કે આ પાન ક્યાકથી પણ ખંડિત ન હોવા જોઈએ. ત્યારબાદ આ અગિયાર પાનને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેના નાના નાના ટુકડા કરી લો.
હવે આ ટુકડાને ઘરના એ વાસણમાં નાખો જેમા તમે લોટ મુકો છો. તુલસી યુક્ત આ લોટનો પ્રયોગ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં ફેરફાર દેખાવવા માંડશે. અહી ધ્યાન રાખવાનુ છે કે ભૂલથી પણ આ ઉપાય રવિવારે કે અગિયારના દિવસે ન કરશો. કારણ કે આ દિવસે તુલસીના પાનને તોડવા અશુભ માનવામાં આવે છે.