Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા

લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા
, શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (16:47 IST)
તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી શકાય છે. આ પ્રયોગોમાં ખાસ છોડ, પૂજા સામગ્રી, ફળ અને બીજી વસ્તુઓનો ઉપયોગ હોય છે. તંત્ર મુજબ લીંબૂ અને લવિંગના ટોના-ટોટકા દ્વારા જીવનની ઘણી સમસયાઓને એક ઝટકામાં ખત્મ કરી શકાય છે. 
જો ઘરમાં કોઈ બાળક કે વડીલને નજર લાગી ગઈ હોય તો એના માથા થી પગ સુધી લીંબૂ ઉતારીને આ લીંબૂના ચાર ટુકડા કરી કોઈ સુનશાન જગ્યા કેકોઈ તિરાહા પર ફેંકી દો. ધ્યાન રાખો કે ટુકડા ફેક્યા પછી પાછળ ન જોવું અને સીધા ઘરે આવી જાઓ . નજર તરત જ દૂર થઈ જશે. 
 

જો કોઈ માણસનો વ્યાપાર સારી રીતે નહી ચાલી રહ્યું છે તો શનિવારના દિવસે લીંબૂના તાંત્રિક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય મુજબ એક લીંબૂને દુકાનની ચારે દીવારોથી અડાવીને એમના ચાર ટુકડા કરો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબૂનો ટુકડો ફેંકી દિ . એનાથી દુકાન, વ્યાપાર સ્થળની નેગેટિબ એનર્જી નષ્ટ થઈ જશે. 
webdunia
ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબૂનો ઝાડ લગાડો. લીંબૂના ઝાડથી આસપાસનો વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. એની સાથે જ લીંબૂનો ઝાડ ઘરમાં લગાડવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર હોય છે. 
 

 
પ્રચલિત માન્યતા  મુજબ જો સૂઈ લાગેલું લીંબૂ કોઈ રોગીના માથા પરથી 7 વાર ઉતારીને ચાર રસ્તા પર મૂકી દેવા જોઈએ. ચાર રસ્તાથી જતા જે પણ માણસ એ લીંબૂને પાર કરશે કે અડશે તો રોગીના બધા રોગ એને લાગી જાય છે. 
webdunia
જો કોઈ માણસ અચાનક બીમાર થઈ જાય અને એના પર દવાઓના કોઈ અસર ન હોય તો એના માટે પણ લીંબૂનો ઉપાય કરાય છે. એવી સ્થિતિમાં એક આખો લીંબૂ ઉપર કાળી સ્યાહીથી 307 લખી દો અને એ માણસના ઉપરથી ઉલ્ટી તરફ થી 7 વાર ઉતારી દો. ત્યારબાદ એ લીંબૂને ચાર ભાગમાં આ રીતે કાપો કે એ નીંચેથી જોડાયેલો રહે અને પછી એ લીંબૂને ઘરથી બહાર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો. આ ઉપાય કરવાથી પીડિત માણસ 24 કલાકની અંદર જ સ્વસ્થ થઈ જશે.  
 
webdunia
જો તમને સખ્ત મેહનત પછી પણ વાર-વાર અસફળતા મળી રહી હોય તો લીંબૂનો એક નાનો ઉપાય તમારું કામ બનાવી નાખશે. એના માટે તમે એક લીંબૂ અને 4 લવિંગ લઈ કોઈ પાસના હનુમાન મંદિરમાં જાઓ . ત્યાં હનુમાનજીની મૂર્તિ સામે બેસી લીંબૂ ઉપર ચાર લવિંગ લગાવી દો. ત્યારબાદ હનુમાનચાલીસાના પાઠ કરો. પાઠ કર્યા પછી હનુમાનજીથી સફળતા આપવાની પ્રાર્થના કરો અને આ લીંબૂને ખિસ્સામાં રાખી લઈ જાઓ. તમને નક્કી જ સફળતા મળશે. 
 

ધ્યાન રાખો 
 
જ્યારે પણ ટોટ્કા કર્યા પછી લીંબૂ ફેકશો તો પાછળ વળીને ન જોવું. સીધા તમારા ઘરની તરફ આવી જાઓ. 
webdunia
ક્યારે-ક્યારે રોડ પર લીંબૂ-મરચા પડા જોવાઈ જાય છે , કોઈ ચાર રસ્તા પર કે તિરાહા પર લીંબૂ કે લીંબૂના ટુકડા પડા રહે છે તો ધ્યાન રાખો એના પર પગ નહી લાગવું જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વર્ષ 2017માં જો તમને ધન જોઈતુ હોય તો રાશિ મુજબ કરો આ સહેલા ઉપાય