Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

tantra mantra totke - સર્વ કાર્ય સિદ્ધિ યંત્ર

tantra mantra totke  - સર્વ કાર્ય સિદ્ધિ યંત્ર
, શુક્રવાર, 22 જુલાઈ 2016 (16:48 IST)
દરેક માણસ એમના જીવનને સુખી , સંપન્ન અને શ્રેષ્ઠ બનાવા ઈચ્છે છે . બધા લોકો ઈચ્છે છે કે એમના પરિવાર , સમાજ કાર્ય ક્ષેત્ર બધી જગ્યામાં સફળતા મળે એમને લોકો વખાણ કરે એમનું માન -સન્માન , યશ પ્રાપ્તિ હોય એના માટે દરેક શકય પ્રયાસ કરે છે. સંઘર્ષ કરે છે. ઘણી વાર સફળતા મળે છે. પણ ઘણી વાર સ્થિતિમાં અમારા ગ્રંથમાં ઋષિ મુનિના ઘણા ઉપાય અજમાવ્યા છે જેને ચુપચાપ શ્રદ્ધા પૂર્વક કરવાથી કાર્યમાં સફળતા મળે છે. સમસ્ત બાધા દૂર હોય છે.
1. જીવનમાં મનવાંછિત સફળતા મેળવવા માટે નિયમિત રૂપથી તમારા માતા-પિતા અને વડીલના આશીર્વાદ લઈને જ તમારા દિવસની શરૂઆત કરો  અને ત્યાર પછી જ ઘરની બહાર નીકળો.  યાદ  રાખો કે તેમનુ કોઈપણ હાલમા દિલ ન દુ:ખાડો. 

2. મહિલાને  દેવીના સ્વરૂપ ગણાય છે ઘરની બધી મહિલા અને કોઈ પણ મહિલાને પૂર્ણ સન્માન  આપો. શાસ્ત્રોમાં પણ લખ્યુ  છે કે જે ઘરમાં મહિલાઓ પ્રસન્ન રહે છે ત્યાં સૌભાગ્ય આપમેળે જ આવે છે. 
webdunia
3. જીવનમાં સ્થાઈ સુખ અને સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણા કર્મ શુભ હોય છે. ક્રોધી, લોભી , અભિમાની શક્તિનો દુરૂપયોગ કરતા, ખોટી રીતે ધન સંગ્રહ કરનારને  ધન શક્તિ અને સત્તાનું અસ્થાઈ સુખ મળે છે  પણ  એને પારિવારિક જીવનનુ સુખ મળતુ નથી. એને વૃદ્ધાવસ્થા કષ્ટમય જીવન વિતાવવુ પડે છે.  એનાથી જીવનમાં નિરંતર અસ્થિરતા બની રહે છે, એમના પરિવારમાં કોઈ ને  કોઈ રોગ બન્યો રહે છે આથી આપણે બધાએ  કર્મ જરૂર જ સારા કરવા જોઈએ. 

4. જો જીવનમાં કાર્યમાં સતત  મુશ્કેલી આવી રહી છે તો કોઈ પણ દિવસ કોઈ મંદિરમાં કઠોળના દાણા લઈ સાચા મનથી  તમારી મનોકામના બોલો કામ જરૂર જ નિર્વિઘ્ન રૂપથી પૂર્ણ અને સફળ થશે. 
webdunia
5. સવારે ઉઠતા જ સર્વપ્રથમ તમારા બન્ને હાથની હથેળીને જોડી જુઓ, પછી એને 3 વાર ચૂમીને તમારા ચેહરા પર ફેરવો, એ પછી તમારા ઈષ્ટદેવને મનમાં  પ્રણામ કરતા તમારો જમણો પગ જમીન પર મુકો. પછી તમારા માતા-પિતાના પગે પડીને તેમનો આશીર્વાદ લો એમનું અભિવાદન કરો ત્યારે કઈક  બોલો.  આ દિવસની શરૂઆત ખૂબજ ચમત્કારી ગણાય છે. આવુ કરવાથી  તમે ચોક્કસ પૂરા ઉત્સાહ અને પ્રસન્નતાનો અનુભવ કરશો.

6. દરરોજ સવારે કોગળા કરતા સર્વપ્રથમ થોડું મધ ચાખી લો. પછી નિયમિત રૂપથી સવારે સ્નાન પછી સૂર્ય દેવતાને તાંબાના વાસણમાં ગોળ, ખાંડ ફૂલ મિશ્રિત જળથી અર્ધ્ય આપો. આથી જીવનમાં બધી મુશ્કેલીઓ દૂર થાય છે. અને માન સન્માન એશ્વર્ય અને સફળતાની પ્રાપ્તિ થાય છે. 
webdunia
7. મંગળવારના દિવસે માટીના વાસણમાં શુદ્ધ મધ ભરી કોઈ એકાંત સ્થાનમાં ચુપચાપ મુકી આવો. કાર્ય નિર્વિઘ્ન રૂપથી પ્રુરૂ થશે.  આવું કરતા પહેલા કે પછી કોઈને પણ ન  જણાવશો નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પંચક શરૂ , 26 જુલાઈ સુધી ભૂલીને પણ ન કરો આ કામ