Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપો

ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપો
, રવિવાર, 24 જાન્યુઆરી 2016 (10:08 IST)
- ઘરના મુખ્યદ્વારા પર બહારની તરફ ફુલોનો ગુલદસ્તો કે નાની ઘંટડીઓ લગાડવી જોઈએ. 
 
- તમારી ધાર્મિક આસ્થા મુજબ મુખ્ય દ્વાર બહાર માંગલિક પ્રતીકોનુ પણ પ્રદર્શન કરવુ જોઈએ. જેવા કે સ્વસ્તિક, ૐ, ત્રિશૂલ વગેરે. આ માંગલિક પ્રતિકોના પ્રયોગથી સૌભાગ્ય, સમૃદ્ધિમાં વધારો થાય છે. આ રીતે ઘરમાં સૌભાગ્યને આમંત્રણ આપવાનુ હોય છે. 
 
- મુખ્યદ્વાર અને તેની આજુબાજુ યોગ્ય સફાઈ થવી જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ કરવામાં કોઈ પ્રકારનો અવરોધ ઉભો ન થાય. ઘરનો બિનજરૂરી બેકાર કબાડ મુકવાથી નકારાત્મક ઉર્જા વધે છે. જેનાથી સમૃદ્ધિને નુકશાન પહોંચે છે.  
 
-ભવનના મુખ્ય દ્વારા સામે કોઈપણ પ્રકારનો અવરોધ જેવો કે થાંભલો, ઝાડ, ખુલ્લુ નાળુ વગેરે થવુ અશુભ હોય છે. આ રીતનો દોષ અન્ય કષ્ટો ઉપરાંત આર્થિક કષ્ટનુ કારણ બને છે. 
 
- બાઉંડ્રીવોલ અને મકાનના ઉત્તર પૂવ (ઈશાન ખૂણો) દબાયેલો, કપાયેલો કે ગોળ હોવો અશુભ ગણાય છે. આ દોષને કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. એવો કોઈપણ દોષ  હોય તો તેને ત્વરિત દૂર કરવો જોઈએ. તેનાથી વિપરિત ઈશાન ખૂણો મોટો હોય તો તે ખૂબ શુભ કહેવાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati