- તમે ઘરમાં રોજ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો તેમા રૂ ના સ્થાન પર લાલ દોરાનો પ્રયોગ કરો. કારણ કે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય હોય છે.
- શનિવારના દિવસે ઘઉંમાં એક મુઠ્ઠી કાળા ચણા મિક્સ કરીને દળાવો
- સામાન્ય રીતે જોવામાં આવે છે કે પૈસાને ગણવા માટે થૂંકનો પ્રયોગ કરવામાં આવે છે. આ માતા લક્ષ્મીનું અપમાન છે તેથી તેનો પ્રયોગ ન કરો.
- મોટાભાગે મંદિરમાં તેમના ભક્તો દ્વારા ભેટના રૂપમાં રૂપિયા પૈસા ચઢાવવામાં આવે છે, આવામાં જો ભાગ્યવશ કોઈ સિક્કો કે પૈસો તમારા ખોળામાં આપમેળે જ આવી જાય તો તમે તેને કોઈપણ જાતના સંકોચ વગર ઉઠાવી તેને માતા લક્ષ્મીની કૃપા સમજીને રાખી લો. માતાએ તમને ધનવાન બનાવવાની શરૂઆત કરી દીધી છે.
- કોઈ બુઘવારે જો તમારી સામે કોઈ હિજડો આવી જાય તો તમે તેને તમારી શક્તિ મુજબ થોડા પૈસા જરૂર આપો ભલે એ તમારી પાસે કશુ પણ ન માંગે.
- આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ઘરમાં ક્યારેય પણ બંને સમયે ઝાડુ ન લગાવો
- જો કોઈ શુક્રવારે કોઈ સુહાગન સ્ત્રી આવે છે તો જરૂર તેનુ વિશેષ સન્માન કરી જળપાન વગેરે કરાવો.
- દીવાળીની રાત્રે એક મોતી શંખ કે દક્ષિણાવર્તી શંખને દીવાળી પૂજા સાથે જ પૂજન કરો. લક્ષ્મી મંત્રની પાંચ માળાનો જપ કરો.
- જ્યારે પણ તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવવા જાવો તો મનમાં જ લક્ષ્મી માતાનો કોઈપણ મંત્રનો જાપ કરતા રહો. આનાથી તમને ધન જમા કરાવવાની વધુ તક મળશે.
- બુઘવાર ક્યારેય પણ કોઈને પૈસા ઉઘાર ન આપો નહી તો તે ડૂબી જશે.