Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય ચોક્કસ સફળતા મળશે, અજમાવી જુઓ

ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય ચોક્કસ સફળતા મળશે, અજમાવી જુઓ
, સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (16:12 IST)
- લાલ કિતાબના કેટલાક ટોટકા ખૂબ જાણીતા છે. જેવા કે કોઈ કાર્યની સફળતા માટે ઘરમાંથી નીકળતા પહેલા જ જતી વખતે તમારા હાથમાં રોટલી લઈ લો. રસ્તામાં જ્યા પણ કાગડા દેખા ત્યા એ રોટલીના ટુકડા નાખી દો અને આગળ વધો.  તેનાથી સફળતા પ્રાપ્ત થાય છે.  
 
- કોઈપણ જરૂરી કામ માટે ઘરેથી નીકળતી વખતે ઘરના ઉંબરાની બહાર પૂર્વ દિશા તરફ એક મુઠ્ઠી જંગલી વેલને મુકી તમારુ કામ બોલતા જાવ. તેના પર જોર લગાવીને પગ મુકીને કામ માટે નીકળી જાવ.  ચોક્કસ જ કામમાં સફળતા મળશે. 
 
- ઘરેથી કોઈપણ શુભ કાર્ય માટે નીકળતા પહેલા શ્રી ગણેશાય નમ: બોલો પછી વિરુદ્ધ દિશામાં 4 પગ જાવ. ત્યારબાદ કાર્ય પર નીકળી જાવ. કામ જરૂર થશે. 
 
- ઘરમાંથી નીકળતી વખતે ગોળ ખાઈને થોડુ પાણી પીધા પછી જ નીકળો.. કામમાં સફળતા મળશે. 
 
- ઘરના ઉંબરાની બહાર થોડા કાળા મરીના દાણા વિખેરી દો અને તેના પર પગ મુકીને નીકળી જાવ પછી પલટીને ન જોશો. આ ઉપાયથી બગડેલા કામ બની જશે. 
 
- કોઈપણ સારુ કામ કરવા માટે નીકળતા પહેલા દહી-ખાંડ ખાઈને નીકળો. 
 
- ઘરમાંથી નીકળતા પહેલા તુલસીના પાન ખાઈને નીકળવુ પણ શુભ માનવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી માટે ભવિષ્યવાણી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ શનીની દશાથી પીડિત છે