Publish Date: Fri, 03 Mar 2017 (17:28 IST)
Updated Date: Fri, 03 Mar 2017 (18:12 IST)
પ્રાચીન ભારતીય ગ્રંથમાં એવા ઉપાય જણાવ્યા છે જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થઈને સૌભાગ્ય આવે છે.
આ ઉપાયોને કરઆ જેટલું સરળ છે, તેટલા જ વધારે અસરદાર પણ છે.
1. એક વાડકીમાં પાણી લઈ તેને બપોરે ત્રણ-ચાર કલાક માટે સૂર્યની રોશનીમાં મૂકી દો. ત્યારબાદ ત્યારબાદ તે પાણીને ભગવાનનું સ્મરણ કરતા આખા ઘરમાં કેરી કે આસોપાલવના પાનથી છાંટી દો. આવુ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જશે.
2. દરરોજ સાંજના સમયે થોડી ધૂપ લોબાન સાથે મિક્સ કરી ગોબરના છાણા પર સળગાવો અને તે ધૂપની આખા ઘરમાં ધૂની આપો.
આ ઉપાયથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ અને ભૂત પ્રેત વગેરે ઘરમાંથી દૂર ચાલ્યા જાય છે.
3. રાત્રે સૂતા સમયે દેશી ઘીમાં ડુબાડેલું કપૂર પ્રગટાવીને સૂઈ જવુ.. તેનાથી ખરાબ સપના નહી આવે અને સારી ઉંઘ આવશે.
4. સાંજના સમયે ઘરના બધા ખૂણામાં થોડા મીઠુ એક કાગળ પર મૂકી દો. સવારે જલ્દી ઉઠીને આ બધા મીઠાને એકત્ર કરી અને કોઈની સાથે વાત કર્યા વગર કાગળ સાથે કોઈ વહેતા પાણીમાં નાખી દો. એનાથી ઘરમાં સૌભાગ્યના આગમન થાય છે.
5. સાંજે આરતીના સમયે ઘરમાં શંખ વગાડો. શંખ દ્વારા ઘરમાં જળ પણ છાંટી શકો છો. એનાથી ઘરનું દુર્ભાગ્ય દૂર ભાગે છે.
6. જો તમે કોઈ એવા ઘર( ભાડાના મકાન)માં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં પહેલા કોઈ બીજુ રહેતુ હતુ તો ત્યાંની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં રંગ-રોગન કરાવવુ જોઈએ
webdunia
Publish Date: Fri, 03 Mar 2017 (17:28 IST)
Updated Date: Fri, 03 Mar 2017 (18:12 IST)