Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 નંબરની આ 9 ખૂબીઓ જાણશો તો બધા કામ 18 તારીખે જ કરશો

18 નંબરની આ 9 ખૂબીઓ જાણશો તો બધા કામ 18 તારીખે જ કરશો
, બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (13:52 IST)
જો તમને અંકજ્યોતિષમાં વિશ્વાસ નથી તો પણ 18 નંબર વિશે જ્યારે આ જાણશો તો એ ઈચ્છશો કે તમારા ઘરનો નંબર 18 હોય. ફ્લેટ લેવાનુ વિચારશો તો 18માં નંબરના ફ્લોર પર લેશો. એટલુ જ નહી દરેક ફાયદાનું કામ 18 તારીખે કરવા ઈચ્છશો. 
 
ઉલ્લેખનીય છે કે જે રીતે આખી દુનિયામાં 13 નંબરને અશુભ માનવામાં આવે છે અને આ નંબરની અશુભતાને કારણે અનેક બિલ્ડિંગોમાં 13 નંબરનો ફ્લેટ હોતો નથી. અનેક હોટલોમાં 13 નંબરનો રૂમ હોતો નથી. 
 
ઠીક તેનાથી ઉંધુ દુનિયાના અનેક દેશોમાં 18 નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવો જાણીએ 18 નંબર વિશે દુનિયામાં કેવી કેવી માન્યતાઓ છે. 
webdunia
ચીનમાં માન્યતા છે કે અંક 18 ધન અને સમૃદ્ધિનુ પ્રતિક છે. 18નુ ઉચ્ચારણ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જે ધન વૈભવને આકર્ષિત કરે છે. 
 
ચીનમાં 18 અંકના મહત્વને કારણે જ 18માં નંબરનુ ઘર અને 18 નંબરનો ફ્લેટ સૌથી મોંઘો વેચાય છે. એવુ માનવામાં આવે છે કે આ નંબરના ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિ આવશે. 
 
હિબૂ ભાષામાં જીવન શબ્દને વ્યક્ત કરવા માટે અંક 18નો પ્રયોગ કરવામાં આવે છે. 
 
યહૂદી લોકો લાંબા જીવનની શુભ કામના અને આશીર્વાદ માટે 18-18 રોકડ ભેટ આપે છે. 
 
 
ભારતમાં અંક અ8ને શુભ માનવામાં આવે છે. તેથી પુરાણોની સંખ્યા 18 મુકવામાં આવી છે. શાસ્ત્ર પણ કુલ 18 છે. મહાભારત મહાકાવ્યને 18 ભાગમાં વહેંચાયુ છે. 
 
અંકજ્યોતિષ મુજબ 18 અંકનો જોડ 1+8= 9 આવે છે. અંક 9 ગુરૂથી પ્રભાવિત માનવામાં આવે છે. જે ધન અને ઉન્નતિનુ પ્રતિક માનવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati