Publish Date: Mon, 27 Jun 2022 (11:32 IST)
Updated Date: Mon, 27 Jun 2022 (11:55 IST)
લોકો તેમના પર્સનલ વાહન પર કઈક લખાણ લખાવે છે. જેમ કે તેમનો હોદ્દો કે ભગવાનના નામ કે બાળકોના નામ એમ. પણ ગુજરાત રાજ્યમાં આ લખાણ લખાવવા મોધુ પડશે. જો તમે તમારા વાહન પર કોઈ આવુ લખાઁ લખેલુ છે તો તેને તરત જ કાઢી નાખો નહી તો મસમોટો દંડ બરવુ પડશે.
વાહનાના માલિક જો પરંતુ હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણો દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.
ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે. વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.