ભારતીય કપ્તાન બાઈચુંગ ભૂટિયાએ આજે ભારતીય ફૂટબોલ સંઘને નવ પેજનો એક પત્ર મોકલાવીને મોહન બાગાનના એ નિર્ણય સામે પડકાર ફેંક્યો જેમાં ક્લબના અનુશાસનાત્મક કારણોથી તેમને છ મહીના માટે બહાર કરવામાં આવ્યા છે.
ભૂટિયાએ આઈએફએને આ હકાલપટ્ટી અંગે પોતાનો નિર્ણય જણાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કાનૂની વકીલ ઉષાનાથ બેનર્જી દ્વારા આઈએફએને પત્ર લખ્યો છે.
બેનર્જીએ જણાવ્યુ કે મોહન બાગાન એથલેટિક ક્લબ દ્વારા આપવામાં આવેલ નિર્ણય સામે પડકાર ફેંકતા સંઘના સંવિધાનના નિયમ 22 અંતર્ગત આઈએફએને પત્ર લખ્યો છે.