Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pitru Paksha 2023: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખ્તે ન કરશો આ ભૂલ

pitru paksha
, શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (15:53 IST)
pitru paksha
 Pitru Paksha 2023: પિતૃ પક્ષ આજથી એટલે કે શુક્રવાર (29 સપ્ટેમ્બર 2023)થી શરૂ થયો છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી અને શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષ અને સુખ-શાંતિની પ્રાપ્તિ કરે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પાણી આપવાથી તેમના આત્માને સંતોષ અને મુક્તિ મળે છે. ભાદરવાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી પિતૃ પક્ષ શરૂ થાય છે જે  ભાદરવા મહિનાના નવા ચંદ્રના દિવસે (14 ઓક્ટોબર 2023) સમાપ્ત થશે. તો ચાલો  જાણીએ કે ઘરમાં પિતૃઓનું સ્થાન અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમને કયા સમયે જળ અર્પિત કરવુ  જોઈએ.
 
પિતૃઓને જળ કેટલા વાગે આપવું જોઈએ?
શ્રાદ્ધ કરતી વખતે પૂર્વજોનું તર્પણ પણ કરવામાં આવે છે એટલે કે અંગૂઠા દ્વારા મૃતક પરિજનોને જલાંજલિ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓને અંગૂઠાથી જળ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર હથેળીનો જે ભાગ જ્યાં અંગૂઠો હોય છે તેને પિતૃ તીર્થ કહેવામાં આવે છે. પિતૃઓને જળ અર્પણ કરવાનો સમય સવારે 11:30 થી 12:30 સુધીનો છે. પિતૃઓને જળ અર્પણ કરતી વખતે, કાંસા અથવા તાંબાના વાસણનો ઉપયોગ કરો.
 
પિતૃઓને જળ કેવી રીતે આપવું જોઈએ?
તર્પણ સામગ્રી લીધા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. આ પછી હાથમાં પાણી, કુશ, અક્ષત, ફૂલ અને કાળા તલ લઈને બંને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરો અને તેમને આમંત્રિત કરો અને જળ ગ્રહણ કરવાની પ્રાર્થના કરો. આ પછી પૃથ્વી પર અંજલિનું પાણી 5-7 કે 11 વાર છોડો.
 
ઘરમા પિતરોનુ સ્થાન ક્યા હોવુ જોઈએ  ?
 
વાસ્તુ મુજબ દક્ષિણ દિશાને યમની દિશા પણ કહેવામાં આવે છે. આવામાં પિતરોની તસ્વીર હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવી જોઈએ. સાથે જ પિતરોનુ મોઢુ દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ. બીજી બાજુ બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વજોની તસ્વીર ન લગાવવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ સ્થાન પર પૂર્વજોની તસ્વીર મુકવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ પર અસર પડે છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે ઘરમાં એકથી વધુ પૂર્વજોની તસ્વીરો ન મુકવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ વાતનુ પણ ધ્યાન રાખો કે પૂર્વજોની તસ્વીરો ટાંગવી ન જોઈએ. તેમની તસ્વીર એક લાકડાના પાટલા પર મુકવી જોઈએ.  સાથે જ ઘરના મંદિર કે રસોડામાં પણ પૂર્વજોની તસ્વીરો ન લગાવવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shraddh vidhi- જાણો કેવી રીતે કરવી શ્રાદ્ધમાં તર્પણ વિધિ