Publish Date: Tue, 13 Sep 2016 (15:00 IST)
Updated Date: Wed, 14 Sep 2016 (14:30 IST)
શાસ્ત્રો મુજબ પિતરોના ચરણોમાં સ્વર્ગ છે- જેને આ વાતને જાણી લીધું એ હમેશા એમના વડીલોના આદર-સન્માન કરે છે પણ પિતરોને પ્રસન્ન કરવા માટે વિધિવત શ્રાદ્ધ કર્મ કરી એમના અનમોલ આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
સ્કંદ પુરાણના મુજબ પિતરોના આશીર્વાદથી કઈ પણ અશકય નહી છે જ્યાં પિતરોની પૂજા હોય છે. ત્યાં દેવતાઓનો વાસ છે. માતા-પિતાની સેવા કરતા પુત્ર પર ભગવાન વિષ્ણુની અપાર કૃપા સદા બની રહે છે. પુત્રો માટે માતા-પિતાથી વધીને બીજો કોઈ તીર્થ નહી. જે સાચી ભાવનાથી એમના પિતરોને સામે વિધિવત શ્રાદ્ધ
કરે છે એમના ઘરમાં આયુ, સંતાન સુખ, સમૃદ્ધિ અને ખુશહાળી બની રહે છે. એમના ઘરમાં ધન વૈભવ બન્યું રહે છે. ત્યાં ક્યારે ક્રોધ નહી કરતા અને સંયમથી દરેક કાર્ય કરે છે. એમને કોઈ પણ કાર્યમાં ક્યારે અટકળ નહી આવતી.
એને બ્રાહ્મણ કે કોઈ સુયોગ્ય કર્મકાંડી દ્વારા કરાય છે. તમે પોતે પણ કરી શકો છો. આ સમાગ્રી લઈ લો - સર્પ-સર્પિણીનો જોડો, ચોખા, કાળા તલ, સફેદ વસ્ત્ર, 11 સોપારી, દૂધ, જળ અને માળા
પૂર્વ કે દક્ષિણની તરફ મોઢું કરીને બેસો. સફેદ કપડા પર સામગ્રી રાખો. 108 વાર માળાથી જાપ કરો અને સુખ-શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરવા અને સંકટ દૂર કરવા ક્ષમા યાચના સાથે પિતરોથી પ્રાર્થના કરો. જળમાં તલ નાખી 7 વાર અંજલિ આપો. શેષ સામગ્રીને પોટલીમાં બાંધી પ્રવાહિત કરી દો. હળવો, ખીર,ભોજન વગેરે બ્રાહ્મણ, નિર્ધન, ગાય, કૂતરા, પંખીને આપો.
દક્ષિણા- ભોજન પછી દક્ષિણા આપ્યા વગર અને ચરણ-સ્પર્શ વગર ફળ નહી મળતું. પૂર્વજોના નામ પર કોઈ પણ સામાજિક કૃત્ય જેમ કે શિક્ષા દાન, લોહી દાન, ભોજન દાન, વૃક્ષારોપણ ચિકિત્સા સંબંધી દાન વગેરે જરૂર કરવા જોઈએ.