Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shani Jayanti 2024: પૈસાની તંગીથી પરેશાન જો તો શનિ જયંતિ પર ભૂલથી પણ ન કરશો આ કામ

Shani Jayanti 2024: પૈસાની તંગીથી પરેશાન જો તો શનિ જયંતિ પર ભૂલથી પણ ન કરશો આ કામ
, ગુરુવાર, 6 જૂન 2024 (13:00 IST)
Shani Jayanti 2024: સનાતન ધર્મમાં, શનિદેવને કાર્યોના દેવતા અથવા ન્યાયના દેવ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોને તેમના કર્મ મુજબનુ પરિણામ આપે છે. જેના પર શનિદેવની કૃપા હોય છે તેને પોતાના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યાનો સામનો કરવો પડતો નથી.  સાથે જ  જો શનિદેવની ખરાબ નજર કોઈ પર પડે છે, તો તેની સમસ્યાઓ ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી શનિદેવની પૂજા કરીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે અને આ માટે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. જે જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે જ્યેષ્ઠ અમાવસ્યાનો તહેવાર 6 જૂને છે.  તેથી શનિ જયંતિ પણ 6 જૂને જ ઉજવવામાં આવશે.
 
શનિ જયંતીના દિવસે ન કરશો આ ભૂલ 
 
- જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. તેથી આ દિવસે એવું કોઈ કામ ન કરવું જેનાથી શનિદેવ નારાજ થાય. આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે ઘરમાં લોખંડની બનેલી વસ્તુ ન લાવવી. આમ કરવાથી તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
-  જો તમે ઈચ્છો છો કે શનિદેવ હંમેશા તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ રાખે તો શનિ જયંતિના દિવસે ભૂલથી પણ   કાચની બનેલી વસ્તુ ન ખરીદો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતિના દિવસે ઘરમાં કાચની વસ્તુઓ લાવવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે.
- ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે ભૂલથી પણ તુલસી, બિલિપત્રના પાન કે પીપળાના પાન ન તોડવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી ભૂલ કરવાથી વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડી શકે છે.
- શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને કાળી અડદનું દાન કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે આ બે વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તેનાથી ઘર પર ખરાબ નજરની અસર પડે છે.
- શનિ જયંતિના દિવસે નવા કપડા કે નવા ચંપલ અને જૂતા ખરીદવા કે પહેરવા જોઈએ નહીં. આવી નવી વસ્તુઓ ખરીદવી અને ઘરે લાવવી એ શુભ માનવામાં આવતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shani Jayanti 2024: સૌભાગ્યથી સમૃદ્ધિ સુધી બધુ અપાવશે શનિ, બસ આજે શનિ જયંતે પર કરી લો આ 5 કામ