Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Russia-Ukraine Crisis: “દુનિયાએ અમને એકલા પાડ્યા, અમે અમારા દમ પર લડીશુ - રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી

Russia-Ukraine Crisis: “દુનિયાએ અમને એકલા પાડ્યા, અમે અમારા દમ પર લડીશુ - રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી
કીવ , શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (12:41 IST)
Russia-Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે બીજો દિવસ છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રશિયન સેના રાજધાની કિવમાં પ્રવેશી છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરીને દેશવાસીઓને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે.
બધા અમને છોડી ગયા 
 
ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને નાટો યુદ્ધમાં મદદ કરશે, પરંતુ યુએસ પ્રમુખ જો બાઈડેને યુક્રેનમાં સૈનિકો મોકલવાનો ઇનકાર કર્યો હતો. આનાથી મને ઘણું દુઃખ થયું છે. યુદ્ધ લડવા માટે દુનિયાએ આપણને એકલા છોડી દીધા. પણ હું દેશ છોડીશ નહિ. હું હજુ પણ અન્ય અધિકારીઓ સાથે સરકારી ક્વાર્ટર્સમાં છું. રશિયા ખોટા માર્ગ પર છે, પરંતુ અમે નથી.
અમે અમારા દમ પર લડીશું
અમે અમારા રાજ્યના રક્ષણ માટે એકલા પડી ગયા છીએ. પરંતુ હવે અમે રશિયા સામે પોતાના દમ પર લડીશું. અમને કોઈ સાથ આપવા તૈયાર નથી. દરેક જણ યુક્રેન (Russia-Ukraine Crisis) નાટો સભ્યપદની બાંયધરી આપવાથી ડરે છે. તેમના સૈનિકોએ સરહદની રક્ષા કરતી વખતે તેમની બહાદુરી બતાવી.
અમારા ઘણા સૈનિકો માર્યા ગયા, પરંતુ રશિયન સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કર્યું નહીં. આજે અમે  137 નાગરિકો સહિત 10 લશ્કરી અધિકારીઓ ગુમાવ્યા છે. તે બધાને મરણોત્તર યુક્રેનના હીરોનું બિરુદ આપવામાં આવશે. તેમને હંમેશા યાદ રાખો કે જેમણે યુક્રેન માટે પોતાનો જીવ આપ્યો.
હું દુશ્મનનું મુખ્ય નિશાન છું
 
ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે, રશિયન દળોએ કિવમાં ઘૂસ્યા બાદ ઘણો વિનાશ થયો છે. આ હોવા છતાં, અમે અમારા નાગરિકોને જાગૃત રહેવા અને કર્ફ્યુનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. હું રાજધાનીમાં છું, મારો પરિવાર પણ યુક્રેનમાં છે. મારો પરિવાર ક્યાં છે તે કહેવાનો મને કોઈ અધિકાર નથી. અમારી પાસે રહેલી માહિતી મુજબ દુશ્મનોએ મને ટાર્ગેટ નંબર 1 અને મારા પરિવારને ટાર્ગેટ નંબર 2 બનાવ્યો છે.
 
યુદ્ધના બીજા દિવસે યુક્રેન  વિસ્ફોટોથી હચમચી ગયું
 
સતત બીજા દિવસે રશિયાએ યુક્રેન પર બોમ્બ ફેંક્યા છે. યુક્રેનની રાજધાની કિવમાં શુક્રવારે સવારે અનેક વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીએ જાહેરાત કરી છે કે દેશની આખી સૈન્ય યુદ્ધમાં જઈ રહી છે.
યુક્રેન દાવો કરે છે કે તેના સૈનિકોએ 800 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. ત્રીસ રશિયન ટેન્ક અને સાત જાસૂસી વિમાનોને પણ ઠાર કરવામાં આવ્યા હતા. યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેને તેના 10,000 નાગરિકોને યુદ્ધ રાઇફલ્સ આપ્યા હોવાના અહેવાલ છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રશિયાએ ફેસબુક પર લગાવ્યો પ્રતિબંધ