Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અપૂરતા વરસાદને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૪૦%થી ઓછા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા

અપૂરતા વરસાદને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૪૦%થી ઓછા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા
, સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:42 IST)
દિવાળી હજુ આવી પણ નથી તે અગાઉ ગુજરાતના કેટલાક જળાશયોની વિકટ સ્થિતિ સામે આવી રહી છે. સાધારણ વરસાદને પગલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં અત્યારથી જ સાધારણ સ્થિતિ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩.૬૬ ઈંચ સાથે ૩૮.૬૦% જ્યારે કચ્છમાં ૪.૩૭ ઈંચ સાથે ૧૩.૪૨% જળસ્તર છે. આ ઉપરાંત કુલ ૧૩ જળાશયો ખાલીખમ છે. આ પરિસ્થિતિમાં મે મહિના સુધી જળસંકટ કેવું ઘેરું બની શકે છે તે બાબત ચિંતાના વાદળો ઘેરા કરે તેવી છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં આ વખતે ૨૫.૦૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૬.૭૨% વરસાદ પડયો છે. જોકે, વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારું જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં નબળું રહ્યું છે. જે જળાશયો સંપૂર્ણ ખાલીખમ છે તેમાં કચ્છના સૌથી વધુ પાંચ છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ૨૩.૯૨%, મહેસાણામાં ૩૨.૭૨%, સાબરકાંઠામાં ૪૧.૯૨%, અરવલ્લીમાં ૬૯.૮૧% જળસ્તર છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાંથી ૧૯ સંપૂર્ણ ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨, મધ્ય ગુજરાતના ૭, દક્ષિણ ગુજરાતના ૬ જ્યારે સૌરાષ્ટ્રના ૪ એમ કુલ ૧૯ જળાશયોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૨૪% જળસ્તર છે. મધ્ય પ્રદેશમાં પડેલા સારા વરસાદે સરદાર સરોવર ડેમની સપાટી વધારવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.
જે જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું જળસ્તર છે તેમાં કચ્છ ઉપરાંત ૪.૪૯% સાથે દેવભૂમિ દ્વારકા, ૭.૭૯% સાથે બોટાદ, ૧૩.૭૯% સાથે મોરબી, ૧૬.૩૫% સાથે ખેડા, ૨૧.૨૮% સાથે જામનગરનો સમાવેશ થાય છે. તજજ્ઞાોના મતે જે જિલ્લાઓમાં વરસાદ ઓછો પડયો છે ત્યાં આગામી ફેબુ્રઆરીથી જ જળસંકટ સર્જાવવાનું શરૃ થઇ શકે છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પશ્ચિમ બંગાળમાં નિર્ભયા જેવો કાંડ, આદિવાસી મહિલા સાથે થઈ દરિંદગી