Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાલીતાણામાં બની કરુણ ઘટના- ત્રણ લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત

પાલીતાણામાં બની કરુણ ઘટના- ત્રણ લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત
, બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (14:59 IST)
ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.
 
 પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું, એમાં ત્રણેય લોકો તણાયાં હતાં. 
 
મરણ પામનારાં- જેઠવા કિરણ રાજુભાઈ (ઉં.મ.12) તથા જેઠવા વિનય રાજુભાઈ (ઉં.મ.18)ના મૃતદેહો મળ્યા હતા. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NDA માં સામેલ થશે મહિલાઓ- છોકરીઓને અત્યાર સુધીમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી