Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતીકાલે ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે

આવતીકાલે ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે
, શુક્રવાર, 23 જુલાઈ 2021 (13:14 IST)
ધો.૧૦ની પરીક્ષાના પરિણામનું વિતરણ તાલુકા કક્ષાએ રાખવામાં આવ્યું છે. આથી જિલ્લાની માધ્યમિક શાળા જેવી કે, વિનય મંદિર-ભેંસાણ, સરકારી હાઇસ્કુલ-વિસાવદર, જી.પી.હાઇસ્કુલ-મેંદરડા, કે.કા.શાસ્ત્રી વિદ્યાલય-માંગરોળ, સરકારી હાઇસ્કુલ-કેશોદ, વિવેકાનંદ હાઇસ્કુલ-વંથલી, સરકારી હાઇસ્કુલ-માણાવદર અને જૂનાગઢ શહેર/ગ્રામ માટે સરકારી ગલર્સ હાઇસ્કુલ આઝાદ ચોક જૂનાગઢ ખાતેથી પરીણામનું વિતરણ કરવામાં આવશે.
 
જિલ્લાની તમામ શાળાઓએ તેમના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૪ જુલાઇ-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
 
આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાના વિદ્યાર્થીઓને તાજેતરની પરિસ્થિતીને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને વિદ્યાર્થીઓને આ ગુણપત્ર વિતરણ કરવાનું રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેગાસસ જાસૂસી કેસ - અનિલ અંબાનીનો ફોન પણ હેક! જાણો કોણ કોણ છે નિશાના પર