Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો

લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો
, સોમવાર, 15 ઑગસ્ટ 2022 (12:01 IST)
થોડા સમય પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને તેમણે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.
 
પીએમ મોદીએ લાહોરી ગેટથી કિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
 
વડા પ્રધાનના નિવાસસ્થાનથી તેઓ સૌથી પહેલા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા.
 
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે લાલ કિલ્લા પર તેમનું નેતૃત્વ કર્યું હતું. દરમિયાન ત્રણેય સેનાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.
 
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા લોકો આવી પહોંચ્યા છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને શુભેચ્છા પણ પાઠવી છે.
 
ટ્વિટર પર તેમણે લખ્યું, "દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ!"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં કુલ વેક્સિનેશન ડોઝ હવે ૧૨ કરોડની નજીક