Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ISRO એ લોંચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનિકલ ખામીને કારણે મિશન પુરૂ ન થઈ શક્યુ

ISRO એ લોંચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનિકલ ખામીને કારણે મિશન પુરૂ ન થઈ શક્યુ
નવી દિલ્હી. , ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (10:31 IST)
ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠન  (ISRO)ના પૃથ્વીનુ ઓબ્ઝર્વેશન કરનાર ઉપગ્રહ ‘EOS-03’ ને ગુરૂવારે સવારે લોંચ કરવામાં આવ્યુ. શ્રી હરિકોટના સતીશ ઘવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પરીક્ષણ સ્થળ પરથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યુ.  જો કે લોન્ચના થોડીવાર પછી ISRO ચીફ સિવને કહ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલ તકનીકી ખરાબીને કારને ISROનુ  GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણ રીતે પુર્ણ ન થઈ શક્યુ. બીજી બાજુ સ્પેસફ્લાઈટ નાઉ મુજબ ISRO એ ચોખવટ કરી છે કે જીએસએલવી એમકે લૉન્ચ આજે ક્રાયોજેનિક સ્ટેજ દરમિયાન પરફોર્મેંસમાં તકનીકી ખરાબીને કારણે નિષ્ફળ રહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2017 પછીથી કોઈ ભારતીય લૉન્ચમાં આ પહેલી નિષ્ફળતા છે. ISRO એ બતાવ્યુ કે સેટેલાઈટની પૂરી યાત્રા 18.39 મિનિટની હતી, પણ અંતિમ સમયે ક્રાયોનિક સ્ટેજમાં ટેકનીકલ ખરાબી આવી ગઈ. જેને કારણે ISRO ના આંકડા મળવા બંધ થઈ ગયા. ISRO ચીફને માહિતી આપ્યા પછી બતાવાયુ EOS-3 મિશન આંશિક રૂપે નિષ્ફળ થઈ ગયુ છે. 
 
આ સેટેલાઇટને જિયો ઇમેજિંગ સેટેલાઇટ -1 (GISAT-1) પણ કહેવામાં આવે છે. એના દ્વારા ભારતની સાથે સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ નજર રાખી શકાય છે. આ કારણોસર આ ઉપગ્રહને આઈ ઇન ધ સ્કાઇ પણ કહેવામાં આવે છે.
 
અંતરિક્ષ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ (EOS-03) દરરોજ સમગ્ર દેશના 4-5 તસવીર મોકલશે. આ ઉપગ્રહની મદદથી જળ સંસ્થાઓ, પાક, વાવાઝોડા, પૂર અને જંગલ આવરણમાં થતા ફેરફારોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UKPSC FRO Recruitment 2021: ઉત્તરાખંડમાં ફૉરેસ્ટ રેંજ ઑફિસરના 40 પદો પર ભરતી