Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના ફેક્ટરી માલિક પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી

વડોદરાના ફેક્ટરી માલિક પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી
, બુધવાર, 27 ઑક્ટોબર 2021 (13:35 IST)
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક અને તેમના પુત્રએ રેલવે ટ્રેક પર પડતુ મૂકીને આપઘાત કર્યો છે.ટ્રેનની જોરદાર ટક્કર વાગતા બંનેના માથા ઘડથી અલગ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
 
મકરપુરા રેલવે સ્ટેશન નજીક ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કર્યો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધીએ વાત કરતા ગુજરાતમાં ફેરબદલના એંધાણ