Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ શહેરમાં 1-2 જૂને ‘બાબા બાગેશ્વર’નો દરબાર ભરાશે

રાજકોટ શહેરમાં 1-2 જૂને ‘બાબા બાગેશ્વર’નો દરબાર ભરાશે
, મંગળવાર, 16 મે 2023 (12:56 IST)
રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના કટ્ટર હિન્દુ હનુમંત ભકત્તો માટે સદાકાળ યાદગાર એવો અવસર જૂન મહિનાનાં પ્રથમ બે દિવસે રાજકોટમાં યોજાવા જઇ રહયો છે. ભારતને 'હિન્દુ રાષ્ટ્ર'' જાહેર કરાવવાનાં સંકલ્પી અને બાગેશ્વર ધામ સ્થિત હનુમાનજીની અસીમ કૃપાથી સાધારણ લોકોની વિકટત્તમ સમસ્યા અલૌકિક રીતે જાણી તેનો લેખિતમાં ઉકેલ આપી અતિ મશહૂર થયેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટનાં રેસકોર્સ ખાતે 1 અને 2 જૂન દરમિયાન દિવ્ય-દરબાર ભરાશે. કાર્યક્રમને આખરી ઓપ આપવા વિવિધ 30 જેટલી કિંમટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેર હંમેશાથી આસ્થા અને આધ્યાત્મ મામલે અગ્રેસર રહયું છે. સૌરાષ્ટ્રની ધરા સંતો મહંતોની ગણાય છે. ધામધૂમથી તહેવારો ઉજવવા અને હિન્દુ સંસ્કૃતિનો સંચય કરવો તે રાજકોટની તાસીર રહી છે. આવી રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં તા. 1 જૂન અને 2 જૂને વિશ્વ પ્રસિધ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ એમપી પિઠાધિપતિ પંડિત ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી રાજકોટ સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે. ‘બાબા બાગેશ્વર’જીનાં લોદરબારોમાં લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. ત્યારે રાજકોટમાં પણ લાખો લોકો ઉમટી પડશે તેવી ધારણાએ હાલ જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મીઠુ, સોઈ, પ્લેન પછી હવે iphone પણ બનાવી રહ્યુ TATA, ફોન કેવો હશે