Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રતિષ્ઠિત ગુરૂકુલની વિદ્યાર્થીનીના દાવાથી મચી ગયો હડકંપ, કહ્યું- સમલૈંગિક સંબંધ બનાવવા કરવામાં આવતું હતું દબાણ

aryakanya gurukul
, બુધવાર, 25 જાન્યુઆરી 2023 (10:14 IST)
ગુજરાતના પોરબંદરમાં પ્રતિષ્ઠિત આર્ય કન્યા ગુરુકુળમાં આઠમા ધોરણની એક વિદ્યાર્થીની અને તેના માતા-પિતાએ છાત્રાલયની અન્ય વિદ્યાર્થીનીઓ પર આક્ષેપો કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. તેમનો આરોપ છે કે હોસ્ટેલમાં રહેતી છોકરીઓ સાથે બળજબરીથી સંબંધો બનાવવામાં આવે છે. આ આરોપોને નકારી કાઢતા, ગુરુકુળના આચાર્ય અને મેનેજમેન્ટે તેને સંસ્થાની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
 
એક મહિના પહેલા, આર્ય ગુરૂકુળમાં જોડાયેલી ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે, તેણે આક્ષેપ કર્યો છે કે, અન્ય છાત્રાલયના સાથીઓ તેને સમલૈંગિક સંબંધોમાં આવવાનું કહેતા હતા, જો તમે નહીં આવો, તો તેઓ પરેશાન કરતા હતા.
 
પીડિતાના માતાપિતાએ કહ્યું, "છાત્રાલયના મોટાભાગના વિદ્યાર્થીઓ સમલૈંગિક સંબંધોમાં છે, છાત્રાલયમાં પણ એક રેકેટ ચાલી રહ્યું છે, છાત્રાલયના વોર્ડનને પણ આ વિશે જાણકારી છે, નવા વિદ્યાર્થીઓ સંબંધ બનાવવા માટે દબાણ કરે છે, અમારી પુત્રીએ આ મામલો બે-ત્રણ વખત પ્રિન્સિપાલ સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, તેથી પરિવારે શાળા અને છાત્રાલયોમાંથી લીવિંગ સર્ટિફિકેટ લઇ લીધું છે.
 
આ બાબત જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ધ્યાને આવતાં જ તેના સભ્ય ડો.ચેતનાબેન તિવારીએ તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસે પણ આ મામલે સમાંતર તપાસ શરૂ કરી છે. ગુરુકુળના આચાર્ય રંજનાબેન મજીઠીયાએ જણાવ્યું હતું કે, આ પાયાવિહોણા આક્ષેપો છે. આ સંસ્થાની સ્થાપના 1936માં કરવામાં આવી હતી અને આજ સુધી આવી ઘટના ન તો બની છે અને ન તો ભવિષ્યમાં બનશે.
 
તેણે કહ્યું કે છોકરીને તેના માતા-પિતાએ તેની ઈચ્છા વિરુદ્ધ ગુરુકુળ મોકલી હતી. તે ગુરુકુળના વાતાવરણમાં એડજસ્ટ થઈ શકતી નથી અને તેથી તે અને તેના માતા-પિતા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મામલે પ્રગતિ આહીર સહિત ત્રણ નેતાઓ સસ્પેન્ડ