Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના મોટા વરાછામાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતા 8 લોકો દટાયા, એકનું મોત

સુરતના મોટા વરાછામાં ખોદકામ દરમિયાન માટી ધસી પડતા 8 લોકો દટાયા, એકનું મોત
, મંગળવાર, 23 માર્ચ 2021 (13:58 IST)
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે એકનું મોત થયું છે. દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓ ને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IndvsEng 1st ODI Live- પ્રથમ વનડે: ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો