Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

તળાજા પાસે એસટી બસ પલટી

ST bus overturned near Talaja
, રવિવાર, 5 નવેમ્બર 2023 (16:14 IST)
ભાવનગરના તળાજા પાસે ગઇકાલે એસટી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટનામાં 15 લોકોને ઇજા પહોંચી છે.
 
તળાજા પાસે હાઇવે  પર એસટી બસ પલટી જતાં ખાડામાં  જઇ પડી હતી. આ દુર્ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. એસટી બસ અચાનક ખાડામાં પડી જતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. 
 
15 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. 15માંથી ત્રણ લોકોને વધુ ઇજા થતાં 108 મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. ઘટના તળાજાની નજીક બની હતી. ઘટનાની જાણ થતાં  પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દુર્ઘટના અંગે અને તેના કારણો અંગે તપાસ શરૂ કરી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તારક મહેતા: દિવાળી પર દયાબેનનો ધમાકો