Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે 32 કિ.મી. દૂર બેસી ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે 32 કિ.મી. દૂર બેસી ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી
, ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (12:43 IST)
પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે વિશ્વની ફર્સ્ટ-ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી ૩૨ કિ.મી. દૂર રહેલા દર્દીના હૃદયની આર્ટરીમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમની આ પ્રોસિજરથી ભારતના તબીબી વિજ્ઞાનના ઈતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર સંકુલમાં તેમણે સંતો-મહંતોના આશીર્વાદ મેળવી બુધવારે બપોરે ત્રણ કલાકે આ પ્રોસિજર હાથ ધરી હતી. અક્ષરધામ મંદિરમાં બેઠાબેઠા ઈન્ટરનેટના માધ્યમ થકી તેમણે ૩૨ કિ.મી. દૂર એસ.જી. હાઈવે સ્થિત એપેક્સ હોસ્પિટલમાં દર્દી પર ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શનની સફળ પ્રોસિજર કરી ઈતિહાસ સર્જ્યો હતો. 
webdunia

આ વિરલ ઘટનાથી વિશ્વભરમાં દૂર અંતરના ટેલિરોબોટિક પ્લેટફોર્મ માટે માર્ગ મોકળો બન્યો છે.ડૉ. તેજસ પટેલે આ અંગે કહ્યું કે, ‘આ રોબોટિક PCI (પરક્યુટેશન કોરોનરી ઈન્ટરવેન્શન) હાર્ટમાં સ્ટેન્ટિંગ કરવાના ઉપયોગમાં આવશે. સાથોસાથ સ્ટ્રોકના દર્દીઓ માટે પણ આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થશે’. તેઓએ વિશ્વની આ પ્રથમ પ્રોસિજર અને ટેકનોલોજી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરી હતી. 
તેમણે કહ્યું કે, ‘આ ટેકનોલોજી મારફતે હું હૃદયની સારવાર પદ્ધતિમાં લાખો લોકો માટે અદ્યતન પરિવર્તન લાવવા માગું છું’.‘વિશ્વની આ પ્રથમ પ્રોસિજર કરવા તેમણે અક્ષરધામ મંદિર કેમ પસંદ કર્યું’? તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ‘અક્ષરધામ વિજ્ઞાન અને આધ્યાત્મનું તથા પરંપરા અને ટેકનોલોજીનું સંગમ સ્થાન છે જે માત્ર તબીબી ક્ષેત્રે જ નહીં, પરંતુ માનવતાના તમામ ક્ષેત્રને શાંતિ અને અધ્યાત્મ, સુગમતા અને સર્જનાત્મકતા પૂરી પાડે છે.’ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત CMOએ કરી નાખી મોટી ભૂલ, ભારતના નક્શામાંથી કાશ્મીર ગાયબ