Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળાનો માહોલ જામ્યો: આગામી 3 દિવસમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે: અમદાવાદમાં 16.1

શિયાળાનો માહોલ જામ્યો: આગામી 3 દિવસમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે: અમદાવાદમાં 16.1
, શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:14 IST)
ગુજરાતમાં શિયાળાનો માહોલ ધીરે-ધીરે જામી રહ્યો છે. નલિયા 13.4 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. આગામી ૨-3 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અલબત્ત, આ વખતે ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ હવે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ જ થઇ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલમાં ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાનો પવન છે. ગુજરાતના કેટલાક શહેરમાં આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે, જેના પગલે ઠંડીમાં વધારો થશે. '  અમદાવાદમાં 16.1 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો.
આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 8 ડિસેમ્બર બાદ જ ઠંડીમાં વધારો થશે અને ત્યારે પારો 10 ડિગ્રીથી નીચે જઇ શકે છે.
અમદાવાદમાં સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેર કે જ્યાં 17 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે તેમાં વલસાડ, ગાંધીનગર, ડીસા, વડોદરા અને દીવનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 5.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકારની ગુલબાંગો વચ્ચે રોજગારીનું વરવું ચિત્ર, 12000 જગ્યાઓ સામે 38 લાખ અરજી આવી