Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RathYatra 2022: CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ

cm and home minister in rathyatra
, શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:30 IST)
આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે.
 
શહેરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિકળવાની છે. ત્યારે વહેલી સવારથી જ તૈયારીઓ થઇ ગઇ છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.મંગળા આરતી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ શરૂ કરી હતી. 
 
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રા માટે 30 ટન શીરો બનાવવાનુ શરૂ, 3000 કિલો સુજી, 3000 કિલો ખાંડ અને 3000 કિલો ઘીનો ઉપયોગ