Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાર્વત્રિક વરસાદના લીધે નર્મદા ડેમની સપાટીમાં થયો ધરખમ વધારો, પ્રવાસીઓ ટોળા ઉમટ્યા

સાર્વત્રિક વરસાદના લીધે નર્મદા ડેમની સપાટીમાં થયો ધરખમ વધારો, પ્રવાસીઓ ટોળા ઉમટ્યા
, મંગળવાર, 27 જુલાઈ 2021 (11:22 IST)
કોરોનાની લહેર મંદ પડતા જ રાજ્ય સરકારે પ્રવાસન સ્થળો ખુલ્લા મુક્યા છે. પ્રવાસન સ્થળો ખુલતાની સાથે જ અઠવાડિયાના અંતે શનિ-રવિમાં લોકો ફરવા માટે નીકળી પડે છે. ગુજરાત સહિતના લોકોની પ્રથમ પસંદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિવાર અને રવિવાર એમ બે જ દિવસ માં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
webdunia
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા હાલ માત્ર ઓનલાઇન ટિકિટની જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓનલાઇન ટિકિટમાં એકવાર બુકીંગમાં માત્ર 6 ટિકિટ જ બુક કરવામાં આવી રહી છે. જેથી પ્રવાસીઓ પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવીને આવી શકે.
webdunia
જોકે ગઈ ગેલેરી જોવા માટે દૈનિક માત્ર 7000 પ્રવાસીઓને જ પ્રવેશ અપાય છે જેને કારણે 7000 થી વધુ પ્રવાસીઓ આવે તો તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય પ્રકલ્પો જોઈને જ સંતોષ માનવો પડે છે.
webdunia
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી પાણી છોડાતા 46 હજાર 504 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
webdunia
સતત પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમનું જળસ્તર પહોંચી ગયું છે 115.86 મીટર પર એટલે કે 8 કલાકમાં ડેમની જળસપાટીમાં 86 સેન્ટિમીટરનો વધારો થયો છે. જોકે હાલ ડેમની જળસપાટી છે તે ગત વર્ષ કરતા 5 મીટર ઓછી છે. ડેમમાં હાલ 4 હજાર 363 MCFT પાણીનો જથ્થો છે.
webdunia
રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NDRF ટીમના જવાનોએ વૃદ્ધ મહિલા, લકવાના દર્દી સહિત ૩૧૩ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડયા