Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો શું છે "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત ?

જાણો શું છે
, શનિવાર, 8 એપ્રિલ 2017 (00:12 IST)
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રીડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત એ છે કે આ બુક માટે 17 જેટલા લેખકો એ એક વર્ષ સતત અમદાવાદ અને અમદાવાદીઓનો બારીકાઇપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ બુકમાં સમાવી લેવામાં આવેલી તમામ 55 વાર્તાઓ અમદાવાદ અને અમદાવાદીઓ વિશેના ભિન્ન-ભિન્ન પાસાઓનો ભેદ ખોલે છે. અમદાવાદ અને અમદાવાદીઓની વાર્તાઓ આ બુકને જીવંત કરે છે.

આ બુકમાં અમદાવાદ જીવતું, ધબકતું જોવા મળે છે અને તેનું કારણ છે વાર્તાઓમાં જોડાયેલા લોકોનું અમદાવાદ સાથેનો અતૂટ નાતો. આ બુકના ક્યુરેટર નિશા નાયર તથા ત્રણ ઓથર્સ લીઝા ચેઝોત, પ્રયાસ અભિનવ અને ધવલ શુક્લ આ બુકનું રીડિંગ કર્યું હતું અને અમદાવાદની ઝિંદાદિલી અને આ બુકની પાછળ લાગેલી તેમની મેહનત અને પ્રોસેસને બધા સાથે મળી સેલિબ્રેટ કરી હતી.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે મોદી પ્રોટોકોલ તોડીને હસીનાને મળવા એરપોર્ટ પહોચ્યા