Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીધામમાં ધો.૧૦-૧૨માં ભણતાં કિશોર-કિશોરીનો માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત

ગાંધીધામમાં ધો.૧૦-૧૨માં ભણતાં કિશોર-કિશોરીનો માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત
, મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (12:30 IST)
કચ્છના ગાંધીધામમાં અભ્યાસ કરતા કિશોર-કિશોરીએ સોમવારે બપોરે માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે. ખોડીયારનગર ગોપાલપુરી ઝુંપડપટ્ટી પાછળ ફાટક નજીક બપોરે એકાદ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ બેઉ કિશોર-કિશોરીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મૃતક કિશોર પાસેથી મળેલાં આઈકાર્ડમાં તેનું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત અને તે આનંદમાર્ગ હાઈસ્કુલમાં ધોરણ 10માં ભણતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે, મૃતક કિશોરી પાસેથી ગાંધીધામી પી.એન.અમરશી હાઈસ્કુલનું ધોરણ-12નું ઓળખપત્ર મળી આવ્યું છે. જેમાં તેનું નામ અંજલિ સવર્ણસિંગ રાજપુરોહિત લખાયેલું છે. પોલીસે ઓળખપત્રના આધારે બેઉનાં વાલીવારસોને જાણ કરી ઓળખ નિશ્ચિત કરવા સાથે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આતંકી હૂમલાની દહેશતને પગલે ગુજરાતને જોડતી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ