Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં હોસ્ટેલ પર હુમલો કરનાર ટોળાં સામે પોલીસે આજીવન કેદની કલમ લગાવી

અમદાવાદમાં હોસ્ટેલ પર હુમલો કરનાર ટોળાં સામે પોલીસે આજીવન કેદની કલમ લગાવી
, બુધવાર, 18 એપ્રિલ 2018 (12:41 IST)
સોમવારે રાત્રે અમદાવાદના ભૂદરપુરામાં અથડામણની હિંસક ઘટના બાદ મંગળવારે સવારથી જ એક જૂથનુ ટો‌ળું એલિસબ્રિજ પોલીસમથકનો ઘેરાવો કરવા પહોંચી ગયુ હતુ. સંખ્યાબંધ લોકોનાં ટોળાં પોલીસમથકની બહાર રોડ ઉપર ઉતરી પડતા સ્થિતિ તંગ બની હતી. અહીં ટોળાંએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ પ્રગટ કર્યો હતો. પોલીસની સમજાવટના અંતે મહિલાની ફરિયાદ લેતા મામલો શાંત પડયો હતો.  ભૂદરપુરામાં હોસ્ટેલ પર સોમવારે રાત્રે હુમલો કરવાના બનાવમાં ત્રણ પોલીસ ફરિયાદ થઈ છે.

સ્થાનિક મહિલાએ આ બનાવ હોસ્ટેલમાં રહેતા છોકરાઓએ સ્થાનિક યુવતીની છેડતી કરતા હોવાથી બન્યો હોવાનું જણાવ્યું છે. હોસ્ટેલવાળાઓ આ બનાવ પીધેલા સ્થાનિકોએ તોફાન કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસે હુમલો કરનાર ટોળાં સામે આજીવન કેદની જોગવાઈ ધરાવતી કલમ 395 લગાવી છે. આ ગુનો બિનજામીનપાત્ર છે. આ કલમના કારણે વધુ વિવાદ ભડકે એવી સંભાવના છે.a

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહીં 'રેડ' અભિનેત્રી ઇલિયાના ડી'ક્રુઝ અને 'હબી' એંડ્યૂ કેનબેન પરની તાજેતરની વાત છે