Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ
, બુધવાર, 4 એપ્રિલ 2018 (16:41 IST)
પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયેલા રાજદ્રોહના કેસમાં સેશન્સ કોર્ટે બિન જામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું છે. આ સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ નારાજ થઈ હતી. આ અંગે વધુ સુનાવણી 25મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. ગૃહ વિભાગના સૂત્રો પ્રમાણે હાર્દિક પટેલને ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે.હાર્દિકે હજુ પણ ભાજપ વિરુદ્ધની પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી છે, ચૂંટણી દરમિયાન તેણે અનેક સ્થળે મંજૂરી વગર રેલીઓ અને સભાઓ પણ કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે જુદા કારણો આપી મંજૂરી મેળવી અને રાજકીય ભાષણો આપ્યા હતા. જેને કારણે તેની સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાયેલી છે. જેમાં હજી પણ વધારો થશે, હાર્દિકે જ્યાં પણ નિયમનો ભંગ કરી સભાઓ અને રેલીઓ કરેલી છે, એવા તમામ વિસ્તારમાં તેની સામે ફરિયાદ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું વાત કરો છો ? હવે આશ્રમરોડથી ગાંધીજીને વાડજ મોકલાશે?