Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર રાહત ફંડ માટે ગુજરાત સરકારની નજર કેન્દ્ર તરફ, 4700 કરોડ રૂપિયા માંગશે

પૂર રાહત ફંડ માટે ગુજરાત સરકારની નજર કેન્દ્ર તરફ, 4700 કરોડ રૂપિયા માંગશે
, બુધવાર, 23 ઑગસ્ટ 2017 (12:53 IST)
ગુજરાતમાં આવેલ ભયાનક પૂરના કારણે થયેલા જાન-માલના નુકસાન માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ₹47000 કરોડનું પેકેજની માગ કરતો રીપોર્ટ તૈયાર કર્યો છે.રાજ્યના રેવન્યુ વિભાગે તૈયાર કરેલા આ રિપોર્ટ અંગે સૂત્રોએ જણાવ્યું કે ‘ખેતીવાડી અને પશુપાલન વિભાગ, રોડ રસ્તા વિભાગ, ઇરિગેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સહિતના વિભાગો પાસેથી માહિતી એકઠી કરી આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ અહેવાલને ખૂબ જ જલ્દી કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવશે.’રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા આવેલા વડાપ્રધાને જે તે સમયે રાજ્યને ₹500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. વધારાના ₹4700 કરોડ પણ આ જ રાહત ફંડ હેઠળ માગવામાં આવશે. જે પૈકી ₹1700 કરોડ ખેત પેદાશો અને ખેતીવાડીના નુકસાન પેટે વળતર માટે ઉપયોગમાં લેવાશે. જ્યારે ₹700 કરોડ રોડ-રસ્તાના બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવશે.જ્યારે જળ સિંચાઈની વ્યવસ્થાને ફરીથી યોગ્ય કરવા માટે ₹500 કરોડ અને ₹1000 કરોડથી વધુની રકમ સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય બીજા જાહેર બાંધકામ માટે માગવામાં આવ્યા છે. આ પ્રપોઝલ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નજીકના ભવિષ્યમાં જ દિલ્હી જઈ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. હવે એ જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર ગુજરાતને કેટલું રાહત ફંડ ફાળવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમગ્ર દેશની સરખામણીએ ગુજરાતમાં ખ્રિસ્તીઓ, મુસ્લિમોમાં છૂટાછેડાનું સૌથી વધુ પ્રમાણ