Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી અલ્પેશ ઠાકોરની ખેડૂતોના દેવા માફી મુદ્દે રેલી

ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી અલ્પેશ ઠાકોરની ખેડૂતોના દેવા માફી મુદ્દે રેલી
, શુક્રવાર, 7 જુલાઈ 2017 (12:06 IST)
તાજેતરમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતના ખેડૂતોના દેવા માફી મુદ્દે દૂધબંધી કરીને રસ્તા પર દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો હતો. હવે તેમણે આ મુદ્દે વધુ આંદોલનને આગળ ધપાવતાં ગાંધી આશ્રમથી ગાંધીનગર સુઘી રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયાં છે. રેલીને લઈને પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે.
webdunia

ગુજરાત સિવાય રાજસ્થાન અને કર્ણાટકની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યાં પણ ગુજરાત સરકારે આ દેવા માફ નથી કર્યાં તે માટે હવે અલ્પેશ ઠાકોર મેદાને ઉતર્યાં છે. તેમણે સરકારને આ માટે કહ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો નહીંતો પરિણામ સારૂ નહીં આવે. તેમની રેલી હાલમાં ગાંધી આશ્રમથી નિકળીને ગાંઘીનગર તરફ જવા કૂચ કરી ચૂકી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રીય મંત્રી Smriti Iraniનો જોખમી અવતાર, જુઓ Video...