Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોરબંદરના દરિયામાંથી પાકિસ્તાની મરીને સાત બોટ સહિત 46 માછીમારોનું અપહરણ કર્યું

પોરબંદરના દરિયામાંથી પાકિસ્તાની મરીને સાત બોટ સહિત 46 માછીમારોનું અપહરણ કર્યું
, સોમવાર, 10 એપ્રિલ 2017 (13:13 IST)
પાકિસ્તાન અવાર નવાર ભારત-પાક જળસીમામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કરતું રહે છે. આજે વધુ સાત ભારતીય બોટોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પોરબંદર નજીક આંતરરાષ્ટ્રી જળ સીમા પાસે પાકિસ્તાન મરીન દ્વારા પહેલા ચાર અને ત્યારબાદ ત્રણ બોટ આમ કુલ મળીને સાત બોટનું અપહરણ કર્યું હતું.

આ સાત બોટ ઉપર સવાર કુલ 42 માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા રવિવારે સવારે અપહરણ કરવામાં આવ્યું હતું. 29 માર્ચ રવિવારે જ પાકિસ્તાન મરીને અરબી સમુદ્રમાં માછીમારી કરતા 104 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. ત્યારે બે દિવસ બાદ ફરીથી પાકિસ્તાને આવી નાપાક હરકત કરી છે. બુધવારે ભારતના 18 માછીમારોનું અપહરણ કરાયું હતું. આ અપહરણ પોરબંદરના અરબી સમુદ્રમાંથી થયું હતું. જોકે, આ માછીમારો પોરબંદરના કયા વિસ્તારના છે તે હજી જાણવા મળ્યું નથી. આ પહેલા પણ શનિવારથી રવિવારના ર4 કલાકમાં પાકિસ્તાન મરીને 19 બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયેલા 104 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હતું. આ માછીમારો પોરબંદર, ઓખા અને માંગરોળના હતા. પાકિસ્તાન મરીને ફાયરિંગ કરીને આ માછીમારોને બંધક બનાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમાં મંજુરી વિના યોજાયેલા હાર્દિક પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયાં