Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિકાસે ગાંધીને પણ ના છોડ્યા! ઈન્કમટેક્ષ ફ્લાયઓવર પરથી વરસાદી પાણી ગાંધીજીની પ્રતિમા પર પડ્યું

વિકાસે ગાંધીને પણ ના છોડ્યા! ઈન્કમટેક્ષ ફ્લાયઓવર પરથી વરસાદી પાણી ગાંધીજીની પ્રતિમા પર પડ્યું
, મંગળવાર, 23 જુલાઈ 2019 (12:52 IST)
અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા ઇન્કમટેક્સ જંકશન પર તૈયાર કરાયેલા ફલાયઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ ઉપરાંત બ્રિજની નીચેની દીવાલો પર ગાંધીજીના ચિત્રો દોરેલા છૅ.ઇન્કમટેક્ષ સર્કલ પર જ્યાં બ્રીજ બનાવવામા આવ્યો છે ત્યાં વર્ષોથી ગાંધીજીની પ્રતિમા છે. આ પ્રતિમા અનેક વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમોની સાક્ષી રહી છે આ પ્રતિમાને અહીથી ગાંધી આશ્રમ કે અન્ય જગ્યાએ ખસેડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ વિવાદનો વંટોળ સર્જાવાની શક્યતાને જોતા તેમ કરવામા આવ્યુ નથી.58કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદઘાટન થયું હતું. આ બ્રિજની બનાવટમાં ખામીને કારણે સોમવારે સાંજે પડેલા વરસાદ પછી બે બ્રિજ વચ્ચેની ફાટમાંથી પાણીનો ધધૂડો સીધો ગાંધીજીની પ્રતિમાના માથા પર પડે છે. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે. આ પ્રતિમા ઈન્કમટેક્સથી ખસેડવા મુદ્દે અગાઉ લાંબો વિવાદ ચાલ્યો હતો. એક તબક્કે તો ગાંધી બાપુની પ્રતિમા વાડજ લઈ જવાની વિચારણા હાથ ધરાઈ હતી. અંતે પ્રતિમા ત્યાં જ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ પૂરતી દરકાર નહીં લેવાતા વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ