Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naresh patel ખોડલધામ 'નરેશ' કોંગ્રેસમાં જોડાશે?

naresh patel
, રવિવાર, 15 મે 2022 (18:01 IST)
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલોના આગેવાન નરેશ પેટલને પોતાના પક્ષમાં કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મથી રહી છે.
 
લેઉઆ પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી હોવાના સમાચાર છે. જો કે નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે મોટી શરત મૂકી છે.
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કામ કરશે તો જ પોતે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે,  નરેશ પટેલની શરત અંગે આ સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CSK VS GT 2022: ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 134 રનનો લક્ષ્ય આપ્યો