Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તો શું ગુજરાત સરકારે લોકોને MOU બાબતે પ્રજાને મુર્ખ બનાવી?

તો શું ગુજરાત સરકારે લોકોને MOU બાબતે પ્રજાને મુર્ખ બનાવી?
, સોમવાર, 13 જાન્યુઆરી 2020 (13:29 IST)
ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત રોકાણકાર પરિષદના તાયફામાં કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટ્સના એમઓયુ કરી પ્રજાને રીતસર ભ્રમિત કરે છે. નાગરિક ઉડ્ડયન વિભાગનો દાખલો જોવા જેવો છે. આ ક્ષેત્રે ૨૦૦૭થી માંડીને ૨૦૧૯ સુધીની ૭ પરિષદોમાં કુલ ૮૪ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ થયા, જે પૈકી ૫૬ ટકા યાને ૪૭ એમઓયુ રદ થઈ ગયા છે, છેલ્લી ૨ પરિષદોમાં થયેલા એમઓયુના રોકાણના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા નથી, બાકીની ૫ પરિષદોમાં રૂ. ૪૨,૭૧૪ કરોડનાં રોકાણ માટે એમઓયુ થયેલાં હોવાનું રાજ્ય સરકારે બતાવ્યું છે. કુલ ૮૪ એમઓયુ પૈકી માત્ર ૧ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હોવાનું જાહેર થયું છે, પણ એ પ્રોજેક્ટ કયો તે વિશે વિગતો અપાઈ નથી. વર્ષ ૨૦૦૯, ૨૦૧૫ અને ૨૦૧૭માં થયેલા બધાં જ એમઓયુ ફોક થયા છે. રસપ્રદ એ છે કે, જે ૩૬ પ્રોજેક્ટ્સ પ્રારંભિક કે પ્રાથમિક તબક્કામાં હોવાનું જાહેર થયું છે તે પૈકી ૫૦ ટકા એમઓયુ તો ૨૦૧૯ના છે, એટલે સ્વાભાવિક રીતે એ પણ એકાદ-બે વર્ષ બાદ રદ બતાવવામાં આવશે. વાસ્તવિકતા એ છે કે, સરકારનાં દબાણથી અને સરકારને ખુશ કરવા અધિકારીઓ મોટી રકમના નવા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ બતાવે છે, જેનો પાયો જ જૂઠાણાં ઉપર રચાયેલો હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એચડીએફસી બેંકએ મોટી સંસ્થાઓ માટે લૉન્ચ કરી એપ્સ