Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપની ચિંતન શિબિરમાં મંથન, વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ પર થઇ ચર્ચા

gujarat election
, સોમવાર, 16 મે 2022 (09:19 IST)
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા  અમદાવાદમાં કેન્સવિલે ગોલ્ફ ક્લબ ખાતે બે દિવસીય 'ચિંતન શિબિર' નું આયોજન કરવામાં આવ્યું છે, આ ચિંતન શિબિરના ભાગરૂપે રવિવારે પાર્ટીના નેતાઓએ ડિસેમ્બરમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સંયુક્ત પ્રભારી સુધીર ગુપ્તા, રાજ્ય પક્ષના વડા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટીને પરંપરાગત વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સંઘર્ષ કરવો પડશે કારણ કે તે જીતનો સિલસિલો વધુ પાંચ વર્ષ વધારવા માંગે છે.
 
પક્ષના અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો કેવી રીતે જીતવી તે અંગે પણ ચર્ચા થઈ હતી. પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે યોજનાઓ તૈયાર કરવામાં આવે છે, નેતાઓના અભિપ્રાય લેવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ ફરીથી પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક મળશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્યની 40 આદિવાસી બહુમતી ધરાવતી વિધાનસભા બેઠકો કબજે કરવાના ઉદ્દેશ્ય સાથે દાહોદથી તેમના પક્ષના ચૂંટણી અભિયાનની શરૂઆત કર્યાના દિવસો બાદ આ 'શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે.
 
ભાજપ આમ આદમી પાર્ટી સાથે પણ સંઘર્ષ કરી રહી છે, જેણે દાવો કર્યો છે કે તે રાજ્યના લોકોને વધુ સારું શાસન આપી શકે છે. AAP એ તાજેતરમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે રોડ-શો યોજ્યો હતો અને રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમાજ કલ્યાણ અધિકારી 3ની પરીક્ષામાં પેપરનું સીલ તૂટેલું હોવાના આક્ષેપ