Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિસાગર નદીમા પાણીની આવક વધતાં 41 ગામોમાં એલર્ટ જાહેર કરાયું

મહિસાગર નદીમા પાણીની આવક વધતાં 41 ગામોમાં એલર્ટ જાહેર કરાયું
, મંગળવાર, 25 જુલાઈ 2017 (12:54 IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લામાંથી પસાર થતી નદીઓ મહીસાગર અને સાબરમતીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સંબંધિત ડેમોમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કાંઠાના ગામોમાં જળસ્તર વધવાની ચેતવણી જાહેર કરાઇ છે. જેના પગલે બંને નદીના કિનારા પરના 41 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. 
webdunia

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદની આગાહી કરતાં તંત્ર એલર્ટ કરાયું છે. ખેડા જિલ્લાના અનેક ગામોમાં ગોઠણસમા પાણી ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પૂરનિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ મહીસાગર નદી પર આવેલા કડાણા ડેમ તથા અમદાવાદ અને ઉતર ગુજરાતમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીનું જળ સ્તર વધી રહ્યું છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી 419 ફૂટ છે.તેની સામે સોમવાર સવારે ડેમનું લેવલ 406.2 ફૂટ સુધી પહોંચ્યું છે. જે 70 ટકાથી વધુ ભરાયેલ છે. હાલમાં પણ પંચમહાલ સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે ડેમની સપાટી વધવાની સંભાવના છે. આથી વહીવટીતંત્ર દ્વારા વોનીંગ સ્ટેજ જાહેર કરાયો છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE -રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની શપથ લીધી... કહ્યુ - હુ નાનકડા ગામમાંથી આવ્યો છુ.