Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રવાસીઓ હવે કેવડિયાથી મધ્યપ્રદેશના રાજઘાટ સુઘી કૃઝમાં સફર કરી શકશે

પ્રવાસીઓ હવે કેવડિયાથી મધ્યપ્રદેશના રાજઘાટ સુઘી કૃઝમાં સફર કરી શકશે
, શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (15:26 IST)
મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટથી કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ 2 રાત્રિનું રહેશે. આ રૂટમાં આવતા ગામોમાં પણ પ્રવાસીઓને મુલાકાતે લઈ જવામાં આવશે. અંદાજે 6 થી 8 મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે ક્રૂઝની આ સફર રોમાંચક બનશે.ભાસ્કરની ટીમે બોટ મારફતે નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે. બડવાણીથી રાજઘાટ કાર મારફતે ગયા. બોટને રસ્તા નજીક મંગાવી તેમાં બેઠા. લગભગ અડધો કિમી સુધી ગયા પછી બોટના ચાલકે કહ્યું કે, હવે આ મુખ્ય નદી આવી. બંને બાજુ નજરે પડતા ગામો પણ હવે અદ્રશ્ય થઈ ગયા હતા. સતત 100 કિમી સુધી ચાલ્યા પણ ક્યાંય કિનારો મળ્યો નહોતો, ન તો કોઈ ખાવાની વસ્તુ મળી, ન મોબાઈલ નેટવર્ક મળ્યું ન તો લાઈટ દેખાઈ. માત્ર બેટરીની લાઈટના સહારે માછીમારી માટે જાળ નાંખી રહેલા સ્થાનિક લોકો નજરે પડ્યા હતા. આ માર્ગ પર 100 થી વધુ ટાપુઓ અને પાંચ મુખ્ય વળાંક છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2020 - 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહી, આ રહ્યુ Income Taxનુ નવુ સ્લૈબ