Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલની દરિયાદિલી કે પછી પોલિટિક્સ, ગુજરાતના સફાઈકર્મચારીના પરિવાર સાથે દિલ્હીમાં પોતાના ઘરે કર્યુ ભોજન

cleaner from Gujarat
, સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (17:15 IST)
કેજરીવાલ ગુજરાતના સફાઈ કર્મી સાથે જમ્યા:છાપરામાં રહેતા ગુજરાતના સફાઈકર્મી પરિવારે કેજરીવાલના ઘરે ભોજન લીધું, આત્મીયતા જોઈ ભાવુક થઈ ગયો
 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઇકાલે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો હતો. જ્યાં કેજરીવાલના ઘરે હર્ષ સોલંકી અને એમના પરિવારે ભોજન લીધું હતું. એ સમય રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ડિસેમ્બર પહેલા ચૂંટણી પૂરી થઈ જાય અને નવી સરકાર રચાય તેવી શક્યતાઓ