Publish Date: Wed, 13 Mar 2024 (10:56 IST)
Updated Date: Wed, 13 Mar 2024 (10:59 IST)
- કાર અને બાઈકની વચ્ચે જોરદાર ટક્કર
- આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત
- બીજી ભાણેજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
જસદણના બાખલવડ ગામ નજીક ભયાનક અકસ્માત થયો છે. જેમાં કાર અને બાઈકની વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. રાજકોટ-ભાવનગર હાઈવે રાત્રે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં મામા અને તેની ચાર વર્ષની ભાણેજનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેમજ જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તથા મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ અજયભાઈ સદાસિયા (ઉં.વ.30) પોતાની બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉં.વ.4) પોતાની બાઈકમાં બેસાડીને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અજયભાઈ અને માહીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે કિંજલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે તેણે પણ દમ તોડી દીધો હતો