Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, 30 જાન્યુઆરીથી થશે મોટો ફેરફાર

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, 30 જાન્યુઆરીથી થશે મોટો ફેરફાર
, બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:18 IST)
ગત વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત મેટ્રો શરૂ થયા બાદ તે અહીંના લોકોની લાઈફલાઈન બની ગઈ છે. તે જ સમયે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRCL) એ અમદાવાદ મેટ્રો રેલ્વેના સમયપત્રકમાં કામચલાઉ ફેરફાર કર્યો છે. ગુજરાત મેટ્રો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, 30 જાન્યુઆરી, 2023થી અમદાવાદ મેટ્રોના મુસાફરીના સમયમાં 4 કલાકનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ગુજરાત મેટ્રો રેલ કંપનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે અમદાવાદ મેટ્રો ફેસ-૧નું સમયપત્રક, જે હાલ સવારે ૯થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે, તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી છે. આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ 30--1-23ના રોજથી અમલમાં આવે તે રીતે, હાલના 9:00 થી 8:00 ની સમય મર્યાદા વધારીને સવારે 7:00 થી રાત્રે 10:00 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરેલ છે. 
 
હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે, જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતમાં ઠંડીમાં ઠુંઠવાઇ રહેલા લોકો માટે મોટા સમાચાર