Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આગામી તા.૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

આગામી તા.૨૩મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ
, બુધવાર, 21 જુલાઈ 2021 (09:32 IST)
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.
 
રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૨૧ જિલ્લાના ૬૯ તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ જિલ્લાના ક૫રાડા તાલુકામાં ૩૧ મી.મી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૦-જુલાઇ ૨૦૨૧ અંતિત ૨૦૬.૯૪ મી.મી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૨૪.૬૪ ટકા છે.હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના આ૫વામાં આવી હતી.
 
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે,ગત સપ્તાહે રાજયમાં સારો વરસાદ થયો છે. તા. ૨૩ જુલાઇથી સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમં સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૧૯ જુલાઇ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૫૭.૨૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૭.૩૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૬.૮૭ ટકા વાવેતર થયુ છે.
 
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૪૯,૨૬૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૪.૬૮ટકા છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૨૪૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૦૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૩  જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૬જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ-૦૬ જળાશય છે.
 
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીરસોમનાથ, ૧- જુનાગઢ, ૧-કચ્છ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે ૬- ટીમ વડોદરા અને એક ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ તે ઉપરાંતની એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ એલર્ટ રાખવામાં આવી છે.
 
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે ઉજવાય છે ઈદ-ઉલ-અજહા(બકરીઈદ) અને શું છે કુરબાની ?