Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજભવનમાં મોદીને પિરસાયું પસંદગીનું ભાવતું ભોજન

રાજભવનમાં મોદીને પિરસાયું પસંદગીનું ભાવતું ભોજન
, બુધવાર, 8 માર્ચ 2017 (12:02 IST)
માતા હિરાબાને મળીને મોદી સીધા જ ગાંધીનગર સ્થિત રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજભવન ખાતે રાત્રી ભોજન લીધું હતું. આ રાત્રી ભોજનમાં સાંસદો અને ધારાસભ્યો પણ જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીએ પણ વડાપ્રધાન મોદી સાથે રાત્રી ભોજન લીધું હતું. ત્યારબાદ રાજભવન ખાતે જ આગામી રણનીતિ મુદ્દે બેઠક પણ થનાર છે.

રાત્રી ભોજનમાં વડાપ્રધાન મોદીની ખાસ પસંદગીની વાનગીઓ પીરસવામાં આવી હતી. ભોજન દરમિયાન 58 જેટલા ફુડ સેફ્ટી અધિકારીઓ તૈનાત હતા. મોદી માટે તેમની પસંદગીની વાનગીઓ પીરસાઈ હતી. જેમાં બટાકાનું રસવાળું શાક, કઢી ખીચડી, દાણા પાંદડા મુઠીયાવાળું શાક, ફુલકા રોટી અને પેટીસ ઢોકળા, પનીર ટીક્કા આચારી, આદુ ફુદીનાનું શરબત, છોલે, પનીર પસંદ, દાલ તડકા, જીરા રાઇસ, જ્યારે ડેઝર્ટમાં કેસરીયા જલેબી અને સ્ટોબેરી ચોકલેટ કેક પીરસાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં પુજારી ગેંગનો તરખાટ - કોંગ્રેસના ચાર ધારાસભ્યોને ધમકીભર્યા ફોનને પગલે ખળભળાટ